અંજાર : કાર અને ટ્રકના બે જીવલેણ અકસ્માત , બે યુવકના અકાળે મૃત્યુ

અંજાર : કાર અને ટ્રકના બે જીવલેણ અકસ્માત , બે યુવકના અકાળે મૃત્યુ

અંજાર : ભીમાસર નજીક કાર હડફેટે બાઈકસવાર યુવાનનું મોત અંજારમાં ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

અંજાર : અંજાર અને ભીમાસર પાસે કાર અને ટ્રકે સર્જેલા બે જીવલેણ અકસ્માતમાં બે યુવકના અકાળે મૃત્યુ નિપજ્યાં છે. નાં એપીએમસી સર્કલ પાસે હોટલ નજીક રોડ પર ટ્રક ચાલકે બાઈકને હડફેટેલીધું હતુ. જ્યારે, ભીમાસર ગામ નજીક રોડ પર કાર ચાલકે બાઈકને હડફેટે લીધો હતો. જેમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું.

અંજાર
અંજાર

આ અંગે અંજાર પોલીસ માથકેાથી મળતી માહિતી અનુસાર  ભીમાસર ગામ નજીક રોડ પર કારના ચાલકે બાઈક પર જતા યુવાનને હડફેટે લીધો હતો. જેમાં ૪૫ વર્ષીય બાઈક ચાલક વિનોદભાઈ પાસવાન (રહે. નંદગામ, ભચાઉ)ને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં તેનું ઘટના સૃથળ પર મોત નીપજ્યું હતું.

જે અંગે પોલીસ માથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યારે,  વરસામેડીમાં રહેતા રામજીભાઈ ભોજાભાઈ સેખવાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ફરિયાદીનો પુત્ર ૨૪ વર્ષીય નારણ પોતાની બાઈક લઈ કામ પરાથી વરસામેડી પરત આવી રહ્યો હતો.

આ પણ વાંચો : વિશ્વકર્મા જયંતિ 2024 : માઘ મહિનામાં વિશ્વકર્મા જયંતિ ક્યારે આવે છે?જાણો તિથિ, મુહૂર્ત અને પૂજા વિધિ…

દરમિયાન અંજારમાં એ. પી. એમ. સી સર્કલ આગળ આવેલી હોટલ નજીક ટ્રકનાં ચાલકે બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં બાઈક ચાલક યુવાનને હાથ – પગ અને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં યુવાનનું ઘટના સૃથળ પર મોત નીપજ્યું હતું.જેાથી ફરિયાદીએ ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ માથકે ફરિયાદ નોંધાવી હતી.

મોખાણાની સીમમાં ઝાડ પર લટકી આધેડનો આપઘાત

ભુજ તાલુકાના મોખાણા ગામની સીમમાં માનસિક બીમારીથી કંટાળીને ૪૩ વર્ષીય આાધેડે ઝાડની ડાળી પર દોરડાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. મોખાણા ગામે રહેતા ખેતાજી ભીમજી મકવાણા નામના આાધેડે સોમવારે માનસિક બીમારીથી કંટાળી જઇને સાડા બાર વાગ્યાના અરસામાં ગામની સીમમાં બાવડના ઝાડની ડાળ પર રસ્સો બાંધીને આપઘાત કરી લેતાં તેમને સારવાર માટે ભુજ હોસ્પિટલમાં તબીબે સાંજે છ વાગ્યે મૃત જાહેર કરતાં પધૃધર પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Kalki mandir : બાબરે તોડ્યું હતું ભગવાન કલ્કિનું મંદિર,બનાવી હતી શાહી મસ્જિદ,આ જગ્યાએ જન્મ લેશે કલ્કિ ભગવાન…

અંજાર
અંજાર

MORE ARTICLE : Surat માં મોડલની ઘરે લટકતી લાશ મળી,મિલ કામદારની એકની એક દીકરીએ આયખું ટૂંકાવ્યું,આપઘાતનું કારણ ચર્ચામાં…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *