યુદ્ધના છેલ્લા દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને શા માટે રથમાંથી પહેલા ઉતાર્યા હતા?? જાણો…

યુદ્ધના છેલ્લા દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને શા માટે રથમાંથી પહેલા ઉતાર્યા હતા?? જાણો…

મહાભારતનુ યુદ્ધ ચાલી રહ્યુ હતુ. શ્રીકૃષ્ણ અર્જુન ના સારથિ હતા. જેવુ અર્જુન નુ બાણ છૂટતુ, કર્ણ નો રથ ઘણો જ પાછળ જતો રહેતો. જ્યારે કર્ણનું તીર છુટતુ તો અર્જુનનો રથ સાત પગલા પાછળ જતો રહેતો. શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનની પ્રસંશા કરવાને બદલે દર વખતે કર્ણની પ્રશંસા કરતા કહ્યુ,” કેટલો વીરપુરુષ છે, આ કર્ણ.”, જે અમારા રથને સાત પગલા પાછો પાડી દે છે.

ભગવાન શ્રીકૃષ્ણને કર્ણની પ્રશંસા કરતા જોઈને અર્જુન ઘણો પરેશાન થયો. અસમંજસની સ્થિતીમાં પુછી બેઠો,” હે વાસુદેવ, આ પક્ષપાત કેમ? મારા પરાક્રમની આપ નોંધ પણ નથી લેતા અને આપણા રથને માત્ર સાત પગલા પાછળ ધકેલતા કર્ણ માટે આપ દરેક વખત વાહ-વાહ કરો છો?”

શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા- પાર્થ, તને ખબર નથી, “તારા રથ પર મહાવીર હનુમાન અને હુ સ્વયં વાસુદેવ કૃષ્ણ બિરાજમાન છે.” જો અમે બન્ને ન હોત તો તારા રથનું અત્યારે અસ્તિત્વ પણ ન હોત. આ રથને સાત પગલા પણ પાછળ ધકેલવુ એ કર્ણના મહા બળવાન હોવાનો સંકેત છે. અર્જુન આ સાભળીને પોતાની ક્ષુદ્રતા પર સંકોચ અનુભવવા લાગ્યો. આ તથ્ય ને અર્જુન તેથી વિશેષ ત્યારે સમજ્યો જ્યારે યુદ્ધ સમાપ્ત થયુ.

પ્રત્યેક દિવસે અર્જુન જ્યારે યુદ્ધ માથી પાછા ફરતા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પહેલા રથ માથી ઉતરતા અને સારથિ ધર્મ હોવાથી અર્જુન ને પછી ઉતારતા. યુદ્ધના છેલ્લા દિવસે રથમાથી ઉતરતા પહેલા ભગવાને કહ્યુ,”અર્જુન, તમે પહેલા રથ માથી ઉતરીને દુર ઉભા રહો.”

ભગવાન શ્રીકૃષ્ણ ના ઉતરતા જ રથ બળી ને ભસ્મ થઈ ગયો. અર્જુન આશ્ચર્યચક્તિ થઈ ગયો. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યુ” પાર્થ, તારો રથ તો ક્યારનો યે બળીને ભસ્મ થઈ ચૂક્યો હતો. ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, અને કર્ણના દિવ્યાસ્ત્રોથી તે રથ નષ્ટ થઈ ચૂક્યો હતો, મારા સંકલ્પે એને યુદ્ધ સમાપ્તિ સુધી જીવીત રાખ્યો હતો.” અને પોતાની શ્રેષ્ઠતાના મદ મા ખોવાયેલ અર્જુનનું અભિમાન ચકનાચૂર થઈ ગયુ.

પોતાનુ સર્વસ્વ ત્યાગી ને તે ભગવાનના ચરણોમા નતમસ્તક થઈ ગયો. અભિમાન નો ખોટો ભાર ઉતારીને અર્જુન હળવાશ અનુભવતો હતો. ગીતા શ્રવણ મા આથી વિશેષ શુ ઉપદેશ હોઈ શકે કે,” બધુ જ કર્તાહર્તા ભગવાન જ છે, આપણે તો ફક્ત કઠપુતળી જ છીએ.” કાશ, આપણા અંદર નો અર્જુન આ સમજી જાય. ઘમંડ જીવનમાં કષ્ટ જ આપે છે. અહંકાર છોડો પરંતુ સ્વાભિમાન માટે લડતા રહો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *