આ વસ્તુને ચણા સાથે મિક્સ કરીને સેવન કરવાથી થાય છે અઢળક ફાયદા, કબજિયાતથી લઈને ડાયાબિટીસમાં રાહત…
જો તમને ચણાની બમણી તાકાત જોઈએ છે, તો તેને અંકુરિત કર્યા પછી ખાઓ. તમે તેને તમારા નાસ્તામાં સામેલ કરી શકો છો. અંકુરિત ચણા ખાવાથી, તમને પુષ્કળ પ્રોટીન અને વિટામિન્સ મળશે. અંકુરિત ચણામાં ઘણા પોષક તત્વો વધે છે, જેનાથી આપણા શરીરને ઘણી રીતે તાકાત મળે છે, અને આજે અમે તમને તેની જ વાત કરીશું, જે અંકુરિત ચણા ખાવાથી થતા ફાયદા છે, તો ચાલો જાણીએ કયા છે તે ફાયદા…
કબજિયાત દૂર કરે: ફણગાવેલા ચણામાં ફાઇબરનું પ્રમાણ ભરપૂર હોય છે. સવારે નાસ્તામાં અંકુરિત ચણા ખાવાથી કબજિયાત દૂર થાય છે.
થાક દૂર કરે: અંકુરિત ચણાનું સેવન થાક અને આળસને પણ દૂર કરે છે. એવું કહેવામાં આવે છે કે ચણા ખાવાથી ઘોડાની જેમ તાકાત મળે છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક: અંકુરિત ચણા ખાવાથી ડાયાબિટીસની સમસ્યામાં ફાયદો થાય છે. તે શરીરમાં ખાંડની માત્રાને નિયંત્રિત કરે છે. ખાંડના દર્દીઓ માટે સવારે ખાલી પેટ તેનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.
આયર્નની ઉણપ મટાડે છે: અંકુરિત ચણા આયર્નની ઉણપ પૂરી કરે છે. આવા સમયમાં, તેને ગોળ સાથે ખાવાનું વધુ સારું માનવામાં આવે છે. અંકુરિત ચણા ખાવાથી શરીરને વધુ તાકાત પણ મળે છે.
કેવી રીતે સેવન કરવું?= તેને સિરામિક વાસણમાં આખી રાત પલાળી રાખો અને સવારે ખાઓ અને સાથે દૂધ પણ પીઓ. ફણગાવેલા ચણામાં મધ મિક્સ કરીને પીવાથી પુરુષોની શારીરિક નબળાઈ દૂર થાય છે.