માં મોગલ નો પરચો કાબરાઉ માં મોગલ ના ધામે એક મહિલા સોનાની વીટી લઈને માનતા પુરી કરવા આવ્યા મહિલા એ કહ્યું કે….
માં મોગલ એ અત્યાર સુધીમાં ઘણા લોકો ના દુઃખો ને દૂર કરીને તેમના જીવનને સુખો થી ભરી દીધું છે. માં મોગલની સાચા દિલ થી માનતા રાખવાથી દરેક મનોકામના પુરી થઈ જાય છે. માતાજીના નામ માત્ર થી દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. મોગલ માં નો હાથ કાયમ તેમના ભક્તો ના માથે રહે છે.
ભક્તો ના દુઃખ હરવા માટે અને તેમની મુસીબત ને દૂર કરવા માટે માતા હંમેશા ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે. લોકોમાં પણ માં મોગલ ને ઘણી શ્રદ્ધા છે માના ભક્તો દેશ વિદેશ માં છે. કબૂરાઉ માં સાક્ષાત બિરાજમાન માં મોગલના પરચાઓ તો સૌ કોઈ જાણે જ છે.
એક મહિલા પોતાની માનતા પૂરી કરવા કાબરાઉ મોગલ માં ના ધામ માં આવે છે. ત્યારે મણિધરબાપુ એ તેને પૂછ્યું ત્યારે મહિલા એ બધી વાત કરી. મહિલા પોતાની સોનાની વીંટી માતા પાસે લઈને માં મોગલના ચરણોમાં મુકવા આવી હતી.
મણિધર બાપુ એ તે મહિલા ને પૂછ્યું કે તે આ સોનાની વીંટી ની માનતા કેમ માનેલ છે. ત્યારે તે મહિલા એ જવાબ આપ્યો કે તેના પરિવાર માં એક સભ્ય ને કોરોના થઇ ગયો હતો તે દરમિયાન ઘર ના તમામ લોકો ચિંતા માં હતા.
મહિલા ને માં મોગલ પર ભરોસો હતો એટલે તેને મોગલ માં પાસે માનતા માની કે તેના ઘર ના સભ્ય ને કોરોના થયો તે સારું થઇ જાય અને હેમખેમ ઘરે પાછા ફરે. માં મોગલે તરત જ તેની પ્રાર્થના સાંભળી અને જેમને કોરોના હતો તેને સારૂ થઇ ગયું અને હેમખેમ ઘરે પાછા આવ્યા.
મણિધરબાપુ એ બધી વાત સાંભળી અને મહિલા ને સોનાની વીતી પાછી આપી અને મહિલા ને કહ્યું કે તમારી માનતા પુરી થઇ ગઈ તમે આ વીતી તમારા પુત્ર ને આપી દેજો માતા પાસે સાચા મન થી જે માંગો તે માતા આપે જ છે. મહિલા ને માં મોગલે પરચો આપીને ઈચ્છા પુરી કરી. તમામ ભક્તો ની માં ઈચ્છા પુરી કરે જ છે. બસ મનમાં સાચી શ્રધા અને માતા પ્રત્યે આસ્થા હોવી જોઈએ. જય માં મોગલ.