Ram Mandir : અયોધ્યાથી રામ મંદિરની નવી તસવીરો આવી સામે, જાણો કેટલે પહોંચ્યું મંદિરનું કામ?

Ram Mandir : અયોધ્યાથી રામ મંદિરની નવી તસવીરો આવી સામે, જાણો કેટલે પહોંચ્યું મંદિરનું કામ?

Ram Mandir એક એવો મુદ્દો જે કરોડો હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલો છે. એમ કહીએ કે એક એવો મુદ્દો જે ભારતની પ્રભુતા, અખંડતા, હિન્દુ રાષ્ટ્ર સહિત કરોડો હિન્દુઓની શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલો છે. સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યું છેકે, આખરે આ રામ મંદિર ક્યારે તૈયાર થશે. ત્યારે હાલમાં જ અયોધ્યામાં થઈ રહેલાં રામ મંદિરના નિર્માણની નવી તસવીરો સામે આવી છે.

Ram Mandir
Ram Mandir

જેમાં મંદિરના બાંધકામની કામગીરી ક્યાં સુધી પહોંચી છે તે જોવા મળે છે. સાથે જ એવા વાતનો પણ અંદાજો લગાવી શકાય છેકે, હવે અંદાજે કેટલાં સમયમાં મંદિરના નિર્માણની કામગીરી પૂર્ણ થશે.

Ram Mandir
Ram Mandir

જાણીએ કે અત્યાર સુધી મંદિરના નિર્માણના સંદર્ભમાં કઈ કઈ કામગીરી કરવામાં આવી છે. આ દરમિયાન નિર્માણાધીન મંદિરની બે નવી તસવીરો સામે આવી છે. ખુદ ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ આ તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે અયોધ્યામાં Ram Mandir ના ગ્રાઉન્ડ ફ્લોર બાદ હવે પહેલો માળ પણ આકાર લઈ રહ્યો છે.

Ram Mandir
Ram Mandir

પહેલા માળે થાંભલા પણ ઉભા કરવામાં આવ્યા છે. ડ્રોનથી લેવાયેલી આ તસવીરો જોઈને લાગે છે કે થાંભલાઓની ઊંચાઈ લગભગ 10 ફૂટ હશે. આવો જાણીએ શ્રીRam Mandir  નું અત્યાર સુધી કેટલું કામ પૂર્ણ થયું છે.

આ પણ વાંચો : History : પાતાળમાં વસેલા છે ભારતના આ 12 ગામ! જ્યાં ધરતીમાં સમાયા હતા માતા સીતા..

ભવ્ય મંદિરમાં પ્રાણ અભિષેક થશે-

જાણી લો કે વર્ષ 2024ના પહેલા મહિનામાં એટલે કે જાન્યુઆરી મહિનામાં અયોધ્યાના ભવ્ય મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિનો અભિષેક થવાનો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠાના સમય સુધીમાં, શ્રી Ram Mandir ના પહેલા માળે છત નાખવામાં આવી હશે. બીજી તરફ શ્રી રામ મંદિરની સામેની બીજી તસવીરમાં ચારેબાજુ એક કોરિડોર દેખાય છે.

Ram Mandir
Ram Mandir

શ્રીRam Mandir માં સુંદર કોતરણી-

અહેવાલો અનુસાર, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો ભોંયતળિયું લગભગ 170 સ્તંભો પર ટકેલો છે. આ સ્તંભોમાં સુંદર કોતરણી કરવામાં આવી છે. આ સ્તંભોને જોઈને દેવી-દેવતાઓના દર્શન થાય છે. કોતરણીનું કામ ખૂબ સરસ છે. તેમાં કારીગરોની મહેનત સ્પષ્ટ દેખાય છે. મંદિરમાં ગ્રાઉન્ડ ફ્લોરની છત અને દિવાલો પર કોતરણીનું કામ અદ્ભુત છે.

Ram Mandir
Ram Mandir

ભગવાન રામલલા ગર્ભગૃહમાં ક્યારે બિરાજશે?

નોંધપાત્ર વાત એ છે કે, શ્રી Ram Mandir માં ગર્ભગૃહની છત અને દિવાલો સફેદ આરસની બનેલી છે. તેની સુંદર કોતરણી તમને મંત્રમુગ્ધ કરશે. કહેવાય છે કે ભગવાન રામલલા આ સ્થાન પર વર્ષ 1949માં પ્રગટ થયા હતા. હાલમાં રામલલા અસ્થાયી મંદિરમાં બિરાજમાન છે. જાન્યુઆરી 2024માં ભગવાન રામલલા ગર્ભગૃહમાં બિરાજશે. માહિતી અનુસાર, શ્રીરામ મંદિરનું ગર્ભગૃહ સફેદ આરસપહાણથી બનેલા 6 સ્તંભો પર ટકે છે. જો કે, બાકીના બાહ્ય સ્તંભો ગુલાબી રેતીના પથ્થરના છે.

more article : આ મહિલાએ રામ મંદિર માટે છેલ્લા 28 વર્ષથી ત્યાગ કર્યુ છે અન્ન, જાણો કોણ છે આ મહિલા?

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *