Ram Mandir : મન કી બાત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમે કરોડો લોકોને એક સાથે જોડ્યા – PM મોદી
Ram Mandir : પીએમ મોદીએ વર્ષ 2024ના પ્રથમ મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ આ કાર્યક્રમમાં પીએમએ રામલલ્લા વિશે વાત કરી હતી. રામ મંદિરની સાથે વડાપ્રધાને પ્રજાસત્તાક દિવસ પર દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા. પીએમે કહ્યું કે, આ વખતે પરેડમાં બધાએ મહિલા શક્તિ જોઈ.
અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ આ કાર્યક્રમમાં પીએમએ રામલલ્લા વિશે વાત કરી હતી.
અયોધ્યા રામ મંદિર ‘પ્રાણપ્રતિષ્ઠા’ સમારોહમાં હાજરી આપ્યા પછી આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર કહે છે, “તેમાં ખૂબ જ સંતોષની લાગણી છે.
Ram Mandir : પીએમ મોદી વર્ષના પ્રથમ મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ આ કાર્યક્રમમાં પીએમએ રામલલ્લા વિશે વાત કરી હતી. રામ મંદિરની સાથે વડાપ્રધાને પ્રજાસત્તાક દિવસ પર દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા. પીએમે કહ્યું કે આ વખતે પરેડમાં બધાએ મહિલા શક્તિ જોઈ.
આ પણ વાંચો : success story : 14 વર્ષના બાળકે મજાક-મજાકમાં 4 મહિનામાં 18 લાખ રૂપિયા કમાઈ લીધા, ઇન્ટરનેટની મદદથી મળ્યું કામ…
મહિલાઓએ ધ્વજ લહેરાવ્યો
Ram Mandir : પીએમ મોદીએ કહ્યું કે, મહિલાઓનો મહિમા માત્ર ગણતંત્ર દિવસ પર જ નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં જોવા મળ્યો છે. પીએમએ કહ્યું કે ખાસ કરીને સેલ્ફ હેલ્પ ગૃપની મહિલાઓ દ્વારા કરવામાં આવેલું કાર્ય પ્રશંસનીય છે.પીએમએ કહ્યું કે, આ વર્ષે આપણું બંધારણ પણ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટ પણ 75 વર્ષ પૂર્ણ કરી રહી છે. આપણી લોકશાહીનો આ તહેવાર મધર ઓફ ડેમોક્રેસી તરીકે વધુ મજબૂત બનાવે છે.
અયોધ્યા રામ મંદિર ‘પ્રાણપ્રતિષ્ઠા’ સમારોહમાં હાજરી આપ્યા પછી આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર કહે છે, “તેમાં ખૂબ જ સંતોષની લાગણી છે.
શબ્દો આ લાગણીને વ્યક્ત કરી શકશે નહીં- શૈલેષ લોઢા
શ્રી રામ પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પર અભિનેતા શૈલેષ લોઢાએ કહ્યું.. શબ્દો આ લાગણીઓને વ્યક્ત કરી શકતા નથી.. આજના સમારોહ પછી, મને લાગે છે કે દેશ એક અલગ જ પરિમાણમાં છે.”
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમે લોકોને એક સાથે જોડ્યા
Ram Mandir : PM એ કહ્યું કે, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને એક સાથે જોડ્યા છે. દરેકની લાગણી એક છે, દરેકની ભક્તિ એક છે, દરેકના શબ્દોમાં રામ છે, રામ દરેકના હૃદયમાં છે. આ સમય દરમિયાન દેશના ઘણા લોકોએ રામ ભજન ગાયા અને શ્રી રામના ચરણોમાં પોતાને સમર્પિત કર્યા છે. પીએમએ વધુમાં કહ્યું કે, 22 જાન્યુઆરીની સાંજે સમગ્ર દેશે દિવાળીની ઉજવણી કરી છે.
શબ્દો આ લાગણીઓને વ્યક્ત કરી શકતા નથી.. આજના સમારોહ પછી, મને લાગે છે કે દેશ એક અલગ જ પરિમાણમાં છે.
દેશની મહિલાઓ કમાલ કરી રહી છે : પીએમ
Ram Mandir : પીએમ મોદીએ કહ્યું કે, આ વખતે 13 મહિલા ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ મહિલાઓએ ઘણી મોટી ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. પીએમએ કહ્યું કે, બદલાતા ભારતમાં આપણી દીકરીઓ અને દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં કમાલ કરી રહી છે.
તમારો એક વોટ દેશનું ભાગ્ય બદલી શકે છે…
Ram Mandir : પીએમ મોદીએ વધુમાં એવું પણ કહ્યું કે, આ વખતે દરેકે પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરવાની ફરજ બજાવવી જોઈએ. તેમણે કહ્યું કે, તમારો એક વોટ દેશનું ભાગ્ય બદલી શકે છે.
Ram Mandir : અયોધ્યામાં 6 દિવસની ધાર્મિક વિધિઓ પછી, 22 જાન્યુઆરી, સોમવારે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. RSSના વડા મોહન ભાગવત, પીએમ મોદી સહિત છ મહેમાનોએ પૂજામાં હાજરી આપી હતી. 51 ઇંચની નવી મૂર્તિ મંદિરમાં ગયા અઠવાડિયે જ મૂકવામાં આવી હતી.
Ram Mandir : મોદી 12.05 કલાકે હાથમાં ચાંદીના છત્ર અને લાલ અંગવસ્ત્રો સાથે મંદિર પહોંચ્યા હતા. પછી કમળના ફૂલથી પૂજા કરી. અંતે, પીએમએ રામલલ્લાને પ્રણામ કર્યા.
more article : Kumbh melo : મહાકુંભ 2025 ક્યારે છે, કુંભ મેળો ક્યાં યોજાશે, શાહી સ્નાનની તારીખો…