મુકેશ અંબાણીની ખાસ 10 આદતો જે તમારું જીવન બદલી શકે છે, સફળતા માટે ખુબ જ જરૂરી છે…
ભારતમાં જ્યારે પણ સફળ અને પ્રખ્યાત ઉદ્યોગપતિની વાત થાય છે કે સૌથી પહેલા મુકેશ અંબાણીનું નામ અવશ્ય આવે છે. પોતાની મહેનત અને વડીલોના આશીર્વાદથી તેણે ઘણું મોટું પદ મેળવ્યું છે અને તેને લીધે આ જ લગભગ જ કંઈ પણ એવું નથી જે તેમની પાસે નહીં હોય. કરોડોના ઘરથી લઇને કરોડોની ગાડીઓ, એક સુખી પરિવાર, આગળ પાછળ નોકર ચાકર, ઘણા સફળ ઉદ્યોગો અને આખી દુનિયામાં આદર વગેરે. આજે મુકેશ અંબાણીની પાસે આ બધું છે. લોકો તેમના જેવા બનવાનું સપનું જોઈ રહ્યા છે.
લોકો પણ મુકેશ અંબાણીની જેમ એક સફળ ઉદ્યોગપતિ અને અમીર વ્યક્તિ બનવા ઇચ્છે છે. પરંતુ આ બધું કરવું આજના સમયમાં એટલું સહેલું છે? લગભગ નહીં. કારણ કે જો તમે મુકેશ અંબાણી જેવા બનો છો તમારે તમારા જીવનની દિનચર્યાની અમુક વસ્તુ પર ધ્યાન આપવું પડશે અને તેમને પોતાના જીવનનો ભાગ બનાવો પડશે. ત્યારે કદાચ તમારી વાત બને. તો ચાલો જાણીએ મુકેશ અંબાણી વિશે ૧૦ વાતો.
સવારે જલ્દી ઉઠવું: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સવારે પાંચથી સાડા પાંચ વાગ્યાની વચ્ચે ઉઠી જાય છે. જે એક સારી ટેવ છે. તમે પણ આ એક સારી ટેવને અપનાવી પોતાની દિનચર્યાને સુધારી શકો છો.
કસરત કરવી: મુકેશ અંબાણી સવારે વહેલા ઊઠીને છથી સાડા સાત વાગ્યા સુધીનો સમય જીમમાં પસાર કરે છે. અહીં તે વર્કઆઉટ કરે છે. અહીં તમને બતાવી દઈએ કે તેમના ઘર એન્ટિલિયાના બીજો માળ પર જીમ બનેલું છે.
નાસ્તો હળવો રહે છે: મુકેશ અંબાણી સવારે ઉઠી ૯ વાગ્યા પોતાનો નાસ્તો કરી લે છે, જે ખૂબ જ હળવો હોય છે. જ્યાં એક બાજુ તેમના નાસ્તામાં પપૈયાનું જ્યુસ હોય છે, તો બીજી બાજુ દર રવિવારે તે સાઉથ ઇન્ડિયન નાસ્તો કરે છે.
આ છે ઓફિસ જવાનો સમય: મુકેશ અંબાણી સવારે પોતાની ઓફિસએ પણ જાય છે, તેના માટે તે ૯ થી ૧૦ ની વાગ્યે તૈયાર થઈ જાય છે જેથી કરીને સમયસર ઓફિસ જઈ શકે.
માતાના આશીર્વાદ લેવાનું નથી ભૂલતા: દરરોજ ઓફિસ જતા પહેલા મુકેશ અંબાણી પોતાની માતાના આશીર્વાદ લેવાનું નથી ભૂલતા. સાથે જ પોતાની પત્ની અને બાળકોને પણ મળીને એ ઓફિસે જાય છે. આ એક સારી ટેવ છે, જેને તમારે અપનાવવી જોઈએ.
આ કારમાં જાય છે ઓફિસ: મુકેશ અંબાણી પોતાની ગમતી કાર મર્સિડીઝ 62 મા ઓફિસ જાય છે, જેની કિંમત લગભગ અઢી કરોડ રૂપિયા છે.
આ છે ઘરે આવવાનો સમય: તેમની હેડ ઓફિસ નરીમાન પોઇન્ટમાં છે. જ્યાં તે લગભગ ૧૧ વાગ્યા સુધીમાં પહોંચી જાય છે અને ત્યારબાદ પોતાના કામમાં લાગી જાય છે. પોતાનું કામ પૂરું કર્યા બાદ મુકેશ અંબાણી રાત્રે ૧૦ થી ૧૧ વાગ્યા સુધીમાં ઘરે પાછા આવી જાય છે.
આવું હોય છે રાત્રિનું ભોજન: રાત્રે ૧૧ થી ૧૨ વાગ્યાની વચ્ચે તે પોતાનું રાત્રિનું ભોજન કરી લે છે. જેમાં દાળ, રોટલી, શાકભાજી, ભાત અને સલાડ હોય છે.
પત્ની અને પરિવારને આપે છે સમય: મુકેશ અંબાણી ભલે કેટલા બધા વ્યસ્ત રહેતા હોય પરંતુ તે ખાસ પ્રસંગોમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરે છે. અને તેમના બધા જ સુખ દુઃખમાં તેમની સાથે રહે છે. રાત્રીના ૧૨ થી ૨ વચ્ચે તે પોતાની પત્ની નીતા અંબાણીને પર્સનલ અને પોતાના કામને લઈને વાતો પણ કરે છે અને રાત્રે તે ૨ થી ૨.૩૦ વાગે સૂઈ જાય છે.
રિલીઝ થાય એ પહેલા જ જોઈ લે છે ફિલ્મ: મુકેશ અંબાણીને બોલિવૂડની ફિલ્મોનો ખુબજ શોખ છે. જેને કારણે તે મોટા ભાગની ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ જોઈ લે છે.