Morari Bapu : મોરબીની રામકથામાં મોરારી બાપુના નિવેદને ચર્ચા જગાવી, ‘જે થવાનું હતું તે થઇ ગયું, આ લોકો તેમના બાળકો સાથે દીવાળી ઉજવે તેવું ઇચ્છીએ છીએ’
Morari Bapu : મોરબી નજીક નાનીવાવડી ખાતે આવેલ કબીર આશ્રમ પાસે Morari Bapuની રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાના અંતિમ દિવસે મોરારી બાપુ દ્વારા કરવામાં આવેલી વાતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને ચર્ચાનો વિષય બની ગયો છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં મોરારી બાપુએ એવું તે શું કહ્યું હતું કે જેણે ચર્ચા જગાવી છે આવો જાણીએ.
Morari Bapu : કથાના છેલ્લા દિવસે Morari Bapuએ કહ્યું હતું કે, ‘બાપુએ કિર્તન કરાવ્યું, બાપુએ સંવેદન શબ્દોમાં ફરી એક વખત શ્રદ્ધાંજલિ અર્પી અને બધાને આશ્વાસન આપ્યું. એક ભાઈ બેઠા હતા. તેમના પરિવારની આંખોમાં પણ આસું હતા. એ ભાઇ એમ કહેતા હતા કે બાપુ જે થવાનું હતું એ થઇ ગયું. અમારી દીકરી ગઇ, અમારો દીકરો ગયો…જે થયું.. એમા કંઇ થઇ શકે તેમ નથી. તમે જુઓ કેટલો બદલાવ છે. ‘
‘પરંતુ આ ઘટનાને લીધે જે કોઇ ઘટનાનું કારણ બન્યા હોય, જે કંઇ હોય એના લીધે અદાલતમાં જે કંઇ ચાલતું હોય, કોઇ બંદી બન્યા હોય. જે વસ્તુ અદાલતમાં હોય તેમાં આપણે કંઇ કોમેન્ટ ન કરી શકીએ. હું પણ કોઇ કોમેન્ટ ન કરી શકુ.
Morari Bapu : પણ તેના બદલાતા વિચારોને મારે વંદન કરવા છે. જે માણસે એમ કહ્યું કે બાપુ અમારા ઘરમાંથી તો મરી ગયા પણ આ બધાને પાછા દુખી, એમના બાળકો તો સરખી રીતે તેમની હાજરીમાં દીવાળી ઉજવે તેવું કંઇક થાય એવું અમે ઇચ્છીએ છીએ. આ પરિવર્તન થયું છે. નહિતર પ્રતિશોધ માણસના મનમાં થાય જ. પણ આ જે કંઇ થઇ રહ્યું છે તેની હું નોંધ લઉ છું એક સાધુ તરીકે. ‘
more article : મોરારી બાપુ ની યુવાની થી લઇ ને સંત સુધીના ફોટાઓ, પહેલી વાર જુઓ બાપુના પરિવાર ના ખુબ જુના ફોટાઓ