આ યુવકના ઘરેથી ૩૫ તોલા સોનુ ચોરાઈ ગયું તો યુવકે માં મોગલને યાદ કરીને માનતા માની અને થયો એવો ચમત્કાર કે.
માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દુઃખો અને તકલીફો દૂર થાય છે, અત્યાર સુધી માં મોગલે લાખો ભક્તોના દુઃખો દૂર કર્યા છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દરવાજે દર્શને આવે છે, માં મોગલ તો અઢાળે વરણની માતા છે, માં મોગલના પરચા છેક વિદેશ સુધી ફેલાયેલા છે.
તેથી લોકો વિદેશથી પણ માં મોગલની માનતા માનવા માટે આવતા હોય છે, માં મોગલનું નામ લેવા માત્રથી જ ભક્તોના જીવનમાં આવતી બધી જ તકલીફો દૂર થાય છે, હાલમાં એક યુવક માં મોગલના દરવાજે ૩૫ તોલા સોનુ હાથમાં લઈને આવ્યો અને કહ્યું કે બાપુ મારી આ માનતા સ્વીકારો, મણિધર બાપુએ કહ્યું કે બેટા શેની માનતા હતી.
તો યુવકે કહ્યું કે બાપુ મારા ઘરે આજથી થોડા સમય પહેલા ચોરી થઇ હતી અને તે ચોરીમાં ૩૫ તોલા સોનુ ચોરાઈ ગયું હતું એટલે આખા પરિવારમાં દુઃખ છવાઈ ગયું હતું, ત્યારબાદ ચોરને શોધવાના ઘણા પ્રયત્ન કર્યા પણ કોઈ ચોર ના પકડાયો, સોનુ ક્યાં ચોરાઈ ગયું તેની કોઈ જાણકારી ના મળતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
તે પછી યુવક છેલ્લે માં મોગલને યાદ કરીને માનતા માની અને કહ્યું કે હે માં મોગલ જો મને મારુ સોનુ મળી જશે તો હું તે સોનુ તમારા ચરણોમાં લઈને આવીશ, માનતા માન્યાના થોડા જ દિવસમાં ૩૫ તોલા સોનુ ઘરે આવી જતા આખો પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો
અને માં મોગલનો આભાર માન્યો, ત્યારબાદ યુવક તરત જ ૩૫ તોલા સોનુ લઇને કબરાઉ પહોંચ્યો અને બાપુએ માં મોગલ તરફથી તેને પરત આપી દીધું, માં મોગલએ અત્યાર સુધી ઘણા ભક્તોને સાક્ષાત પરચાઓ પૂર્યા છે.