ગુજરાત મા ફરી પધારેલ બાગેશ્વર બાબા ના પ્રોગ્રામ મા કિર્તીદાન ગઢવી એ રમઝટ બોલાવી દિધી….જુઓ વિડીઓ
ગુજરાતમાં બહેશ્વ ધામની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ છે અને હવે સૌ ભકતો માટે ખુશ ખબર છે. બાલાજી દાદાના દર્શન કરવા માટે સૌ કોઈને હવે મહેંદીપુર જવું નહિ પડે કારણ કે હવે ગુજરાતના વડોદરા શહેરમાં જ બાબા બાગેશ્વર ધામનું નિર્માણ થયું છે, જ્યાં બાલાજી હનુમાનજીની સ્થાપના કરવામાં આવી છે. હાલમાં જ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ગુજરાત આવ્યાં છે, ત્યારે આ વખતે પણ કિર્તીદાન ગઢવીએ રમઝટ બોલાવી દીધી છે.
ગુજરાતીઓ હવે વડોદરા શહેરમાં જ બલાજીના દર્શન કરી શકશે.વડોદરામાં નિર્માણ પામેલ બાલાજી ધામમાં હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ શુભ અવસરે ધીરેન્દ્ર્શાસ્ત્રીજી પધાર્યા હતા. આ એક દિવસની મૂલાકાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજઈએ એક ઉધોગપતિના ઘરે નવચંડી યજ્ઞમાં હાજરી આપ્યા બાદ તેઓના જ ઘરે રાત્રી રોકાણ કર્યું હતું બાબા બાગેશ્વરની દર્શન કરવા લોકોની ભીડ ઉમટી પડી હતી.
ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ લોકોને સંબંધોતા કહ્યું હતું કે જે લોકો મહેણીપુર બાલાજીના દર્શન કરવા નથી આવી શકતા તેમના માટે અહીંયા વડોદરામાં દર્શન કરી શકશે. ખાસ વાત એ કે બાબાએ કીર્તિદાન ગઢવી વિશે કહ્યું કે, કિર્તીદાન ગઢવી મારા જુના પાગલ છે, 6 વર્ષ પહેલાં અમે કેદારનાથમાં મળ્યા હતા. સૌથી ખાસ વાત એ પણ છે કે આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં કીર્તિદાન ગઢવીએ પણ રમઝટ બોલાવી દીધી હતી.
કિર્તીદાન ગઢવીએ ધીરેન્દ્ર શાસ્ત્રીજીની હાજરીમાં જ સ્ટેજ પરથી ” રામ સિયા રામ. ” કીર્તિન ગાયું હતું. ખરેખર આ ક્ષણ ખુબ જ દિવ્યતાથી ભરપૂર હતી. આ દિવ્ય ક્ષણના શુભ અવસરે દરેક શ્રદ્ધાળુઓ પોતાની જગ્યાએ ઉભા થઇને મોબાઈલની ફ્લેસ લાઈટ દ્વારા શ્રી રામજીની ડિજિટલ આરતી ઉતારી હતી. આમ પણ જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર જ નથી હોતી.
આ વિડીયો જોઈને દરેક સનાતનીનારુંવાટા ઉભા થઇ જાય એવા મધુર અને ઉત્સાહ સાથે કિર્તીદાન ગઢવીએ રામજીનું ભજન ગાયું હતું. આપણે જાણીએ છે કે દિવ્યદરબારમાં પણ કિર્તીદાન ગઢવીએ બાબાજી માટે બમ બમ ભોલેનાથ અને મન મોર બની થનગનાટ કરે સોન્ગ ગાયું હતું અને સૌ ચાહકોના પણ દિલ જીત્યા હતા.
View this post on Instagram