જ્યારે પણ દુઃખ પડે ત્યારે આટલું કરી દો માં મોગલ આવી જશે તમારી વારે,માં મોગલને પ્રસન્ન કરવા આટલું કરો…

જ્યારે પણ દુઃખ પડે ત્યારે આટલું કરી દો માં મોગલ આવી જશે તમારી વારે,માં મોગલને પ્રસન્ન કરવા આટલું કરો…

ભગુડાવાળી માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે. માં મોગલના પરચા લાખો લોકોને થયા છે અને હજુ પણ માં મોગલનો સાક્ષાતકાર લોકોને થાય છે. જે લોકો પણ માં મોગલના દરબારમાં પગ મૂકે છે. માં કહ્યા વગર જ પોતાના ભક્તની તકલીફ દૂર કરી દે છે. બધા દેવી દેવતાઓમાં માં મોગલ એક છે.

જે કહ્યા વગર પોતાના બાળકોના દુઃખ દૂર કરી દે છે. એનું નામ મોગલ કહેવાય. માં મોગલે હજારો ઘરમાં દીકરા આપ્યા છે. ડોક્ટરોએ પણ થાકીને ના પાડી દીધી હોય કે હવે તમારે સંતાન થવાની કોઈ આશા નથી આવા દંપતીઓના ઘરે માં મોગલે દીકરા આપે છે. ભગુડામાં જાઓ ત્યારે દીવાલ પર હજારો દીકરાઓના ફોટા લાગેલા છે

આને માં મોગલ કહેવાય. માં મોગલ કહે છે મારે તમારા ચઢવા પણ નથી જોઈતા કે નથી જોઈતા તારા શ્રી ફળ કે ચૂંદડી.ખાલી મારી આગળ ઘીનો દીવો કર અને સાચા દિલથી મને યાદ કર પછી તારા આગળ ડુંગરા હોય પછી દરિયા હોય અને જો તારું એક આંસુડું પડે અને હું પળમાં ના પહોંચું તો મારુ નામ મોગલ નહિ. આજ દિન સુધી માં મોગલના દરબારમાં આવેલા દિન દુખીયા પાછા નથી ગયા. માં મોગલ આજે પણ સાક્ષાત ભગુડામાં બિરાજમાન છે.

આગળ વાત કરવામાં આવે તો માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા અને તેની સાથે જ એવું કહેવામાં આવ્યું છે કે તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પણ આ વાતની કોઈને જાણ ન હતી કે તેમની પાસે કેવી શકિત છે અને તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે આઈ શ્રી મોગલ માઁ નું મંદિર, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે ત્યાં માં મોગલને ખૂબજ માનવામાં આવે છે.

તેની સાથે કહેવામા આવે છે કે જ્યાં તે સાચા મનથી માનતા માને છે તો તેમની માનતા જરૂર પુરી થાય છે અને ભગુળાને મોગલધામ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમજ આશરે 450 વર્ષ જેટલો પ્રાચિન ઇતિહાસ ધરાવતાં આ માતાજીનાં સ્થાનકનું મોટું અને મહત્વનું રહસ્ય રહેલુ છે.

મોટા પ્રમાણમાં લોકો ત્યાં જોવા મળતા હોય છે અને તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે તેમ કહેવામા આવ્યું છે અને ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુળા ગામમાં આઈ મોગલ બેઠી છે જે લોકોની દરેક મનોકનમાં પૂર્ણ કરે છે અને તેમજ આ ગામ જ્યાં આઈ મોગલ હાજરા હજૂર છે.

તેવું માનવામાં આવ્યું છે અને આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે અને તેમજ દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુળા માઁ મોગલનું ધામ માનવામાં આવે છે તો ચાલો આપણે જાણીએ મોગલધામ ભગુળાનો ઇતિહાસ.

તેમના જન્મ વિશેની વાત કરતા કહેવામા આવ્યું છે કે મોગલ માતાનો જન્મ દ્વારકા-બેટદ્વારકા વચ્ચે આવેલું ભીંગરાળા ગામ છે અને ત્યાથી આશરે 1800 થી 2000 વર્ષ પહેલા મોગલ માતાજીનો ભીંગરાળામાં જન્મ થયો હતો તેવું જાણવા મળ્યું છે અને ગુજરાતમાં માં મોગલ માતાજીના મુખ્ય ચાર ધામો છે અને જેમાં માઁ દ્વારકા, ગોરયાળી બગસરા, રાણેસર બાવળા અને ભગુળા એમ આ ચાર ધામો આવેલા છે.

ભગુળા ગામ વિશે પણ ઐતિહાસિક લોકવાયકા છે અને ત્યારબાદ કહેવામા આવે તો સતયુગમાં અવતરેલા ભગુઋષિના નામે ભગુળા ગામનું નામ પડયું હતું.ત્યારબાદ ભગુળાની ભૂમિ નળરાજાની તપોભૂમિ છે તેવું કહેવાય છે અને આ ગામમાં અનેક પુરાતન ભોયરા ગુફાઓ પણ આવેલ છે.

ત્યારબાદ આગળ વાત કરીએ તો પહેલાના સમયે રાતના તરવેળાનો સમય હોય અને ત્યારે ગુગળનો ધુપ થતા હોય અને ચારણી આઈ ચરજુ ગાય એટલે ભલભલાના હૃદય ધધળી જાય અને ન ધુણતા હોય એય ધુણવા લાગે અને આવું બધું થતું હોય.

તેમજ આ આર્ત નાદની તાકાત છે આર્તનાદ થાય એટલે મળા પણ ઉભા થાય અને જ્યારે ચારણની ધાબળી માંની તાકાત છે કે ધાબળી ઓઢી આઈ મળદા પર હાથ ફેરવે એટલે મળદા પણ ઉભા થઈ જાય તેવું પણ કહેવામાં આવે છે.

ચારણોનાં સાડા ત્રણ પાળામાં નવ લાખ લોબળીયાળી, ચોરાસી ચારણ અને અનેક સંત ‘ઈશરા સો પરમેશ્વરા’ સાંઈજી જુલો, કોલવો ભગત, જેતબાઈ માં, હાંસબાઈ માં, રાધામાં આવા મહાન મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા છે જેવું કહેવામા આવી રહ્યું છે.

તેમજ માં મોગલનો ઇતિહાસ અલગ અલગ ગામોમાં જુદો છે પણ માંની ચરજુ અલગ અલગ ધામોમાં ગવાઈ છે અને તેમજ કહેવામા આવ્યું છે કે માંનો તરવેળો માત્ર ને માત્ર ચારણ જ પહેરી શકે છે પણ હાલમાં ઈત્તર વર્ગ પણ તરવાળા પહેરવા માંડયા છે જે આપણે પણ ખબર હશે અને તેની સાથે જ ખંભે ધાબળી પણ રાખવા માંડયા છે.

ધાબળી અને તરવાળાનો મહિમા તો ચારણ જ જાણતા હોય છે અને ચારણો માં મોગલને ખૂબ જ માને છે અને આવી જ આ ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગઈ તો આવી ચારણી આઈને લઈ ઘનશ્યામગીરીબાપુએ માતાજીના 21 નામની પુસ્તિકા બહાર પાડી છે એવું પણ કહેવામાં આવ્યું છે.

તેની સાથે સાથે જ જાણવા મળ્યું છે કે મોગલ માંના 21 નામ છે અને જેમાં મુંગુઆઈ,માંગલ આઈ,મોગલ આઈ, લાડકીઆઈ, મંગલાઆઈ, મચ્છરાળીઆઈ, હલ્કારીઆઈ, ડાઢાળીઆઈ, શિરોમણી આઈ, રાધેશ્રીઆઈ, ધાંધળીયાણી આઈ, મોગલેશ્વરાય, મહાકાળી આઈ, ચારણકુળ તારણીઆઈ, જઅસવારી આઈ, નવ લાખ નેજાળી, હેમપાંબાળી, હેમપોબાળી એટલે હિમાલયને પાંખુ આવે.

અને જે ઠંડો પવન આવે તેવી મહેર વરસાવનાર એટલે મોગલમાં અને લોબળીયાળી, ઓખાદળવાળી આઈ ખાસ તો લોબળીમાં વૈજ્ઞાનિક શકિત આવેલ છે અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે ગુરુત્વાકર્ષણ લોબળીમાંથી બીજી પાર નથી જઈ શકતું અને તેમજ તેના કારણે ચારણી આઈઓ ધાબળી પણ ઓઢે છે જેની પણ આપણે ખબર હશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *