જોઈલો આ છે વિઠ્ઠલ રાદડિયાનાં સુપુત્ર જયેશ રાદડિયાનો આલીશાન બંગલો, અંદરની તસવીરો જોઈ દિલ ખુશ થઈ જશે………
નમસ્કાર મિત્રો ટાઈટલ ની શરૂઆત જ આપણે વિઠ્ઠલ ભાઈ ના નામથી કરી આખાય ગુજરાત માં તમે કોઈપણ ને આ નામ પૂછશો તો તે તેનાંથી અજાણ નહીં હોય.આજે આપણે સમગ્ર સૌરાષ્ટ્રનાં કદાવર નેતા થતાં તેમના સુપુત્ર વિશે વાત કરીશું.ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં જેતપુર બેઠક પર ભાજપમાંથી 25 હજારથી વધુ મતની લીડથી જીત હાંસલ કરનાર જયેશ રાદડિયા કે જેઓ નો જન્મ 20 ડિસેમ્બર 1981માં થયો હતો.જયેશ ભાઈ એટલે વિઠ્ઠલ ભાઈ નું બીજું રૂપ.મિત્રો આપણે વચ્ચે વચ્ચે વિઠ્ઠલ ભાઈ વિશે પણ જાણીશું.
પટેલ સમાજ નું ગૌરવ કહેવાતા વિઠ્ઠલ ભાઈ આજે આપણી વચ્ચે નથી તે કહેવું પણ યોગ્ય નથી આજે ભલે વિઠ્ઠલ ભાઈ આપણી વચ્ચે ના હોય પરંતુ આ અડીખમ નેતા આજ પણ સમગ્ર સૌરાષ્ટ્ર વાશીઓના દિલમાં છે.વિઠ્ઠલ રાદડિયા નામ જ એવું હતું. જેસાંભળી તેમનો પરિચય આપવાનું જરૂર ન હતી. સૌરાષ્ટ્રના ખુબજ લોકપ્રિય નેતા વિઠ્ઠલ રાદડિયાના નિધન બાદ લોકો હાલ પણ તેમના યાદ કરી રહ્યા છે.દબંગ નેતાની છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડિયાની લાંબી બીમારી બાદ નિધન થયું હતું.તેમના માટે કહેવાતું કે, પક્ષ ગૌણ છે.
તેઓ જે પણ પક્ષમાં રહ્યા ચૂંટણી જીત્યાજ છે.મોઢાના કેન્સર સામે તેઓ હાર ગયા હતા અને આજે 29 જુલાઈ, 2019ના રોજ તેમનું નિધન થયું છે.તેમના મત વિસ્તાર જામકંડોરણા, ધોરાજીના મતદારો પર તેમની ખૂબ સારી પકડ હતી. આથી જ તેઓ કોઈ પણ પક્ષમાંથી ચૂંટણી લડતા લોકો તેને ભારે બહુમતિથી જીતાડતા હતા.
સૌરાષ્ટ્રમાં તેઓ છોટે સરદારના નામથી જાણીતા હતા.અમે કેમ ના હોય વિઠ્ઠલ રાદડિયા જ્યાં સુધી જીવ્યા ત્યાંસુધી તેઓએ પોતાની આસપાસ ના બધા લોકો નું વિચાર્યું હતું.હવે વાત કરીએ પુત્ર જયેશ રાદડિયા ની તોતેઓ રૂપાણી રથના સૌથી નાની વયના કેબિનેટ મંત્રી છે.
તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 2009માં ધોરાજીના ધારાસભ્યના રૂપમાં થઈ હતી.ત્યારબાદ તેઓ વર્ષ 2013થી જેતપુરના ધારાસભ્ય છે.યુવા નેતાએ પોતાના મતક્ષેત્ર એવા જેતપુરમાં છએક વર્ષ પહેલા ભવ્ય બંગલો બનાવ્યો છે.બંગલાનું નામ તેમના દિવંગત ભાઈ વૈભવના નામ પર રાખવામાં આવ્યું છે. જુઓ રાદડિયાના જાજરમાન બંગલાનો અંદરનો નજારો.જૂનાગઢ રોડ પર આવેલો છે.
2 કરોડ નો બંગલો. ભવ્ય બંગલો.પાંચ વર્ષ પહેલા જ જેતપુરથી જૂનાગઢ તરફ જઈ રહેલા નેશનલ હાઈવેની નજીક મિનિસ્ટરનો 2 કરોડનો 5 બીએચકે બંગલો આવેલો છે.અહીં તેઓ પોતાના પરિવાર સાથે રહે છે. જેમાં તેમની માતા અને પિતા એવા સાંસદ વિઠ્ઠલભાઈ પણ તેમની સાથે રહે છે.બંગલાનો નીચેનો ભાગ પાર્કિંગ માટે રાખવામાં આવ્યો છે. જ્યારે ઉપરના બંને માળમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
કૃષ્ણ ના થાય દર્શન.અહીં અંદર પ્રવેશો એટલે પહેલી નજર ઘરના સુશોભન સાથે કૃષ્ણ મહિમાના દર્શનમાં જ જાય. રાદડિયાના ઘરમાં બાળ કૃષ્ણ ગોવર્ધનને ટચલી આંગળીએ ઉપાડીને ગોકુળ વાસીઓને મેઘતાંડવથી બચાવતાં હોય તેવી આબેહૂબ પ્રતિકૃતિ મન મોહી લે તેવી છે. જ્યારે બંગલાના હોલમાં દ્વારકાધીશની છબી અને કાનૂડાની કાંસ્ય પ્રતિમા જોવા મળે છે.મિનિસ્ટરના બંગલામાં રોયલ સ્ટાઈલ ફર્નિચર રાખવામાં આવ્યું છે.જેમાં બેડરૂમમાં ફિલ્મોમાં સ્વપ્નસૃષ્ટિ બતાવે એવો ભવ્ય ગોળાકાર બેડ રાખવામાં આવ્યો છે.
દરેક રૂમ થિયેટર જેવી છે. દરેક રૂમમાં મોટી સાઈઝની ટીવી હોમ થિયેટર સાઉન્ડ સિસ્ટમ સાથે રાખવામાં આવી છે. તો જયેશભાઈના બેડરૂમમાં તેમની પત્ની સાથેની વિશાળ તસવીર નજરે પડે છે.5BHK બંગલો.હાઈફાઈ કિચન અને બાજુમાં ડાઈનિંગ ટેબલ.રાદડિયા પરિવાર ખાણીપીણી માટે બંગલામાં આધુનિક કિચન બનાવ્યું છે.જેમાં ઓવન, ફ્રિઝ, મિક્સર સહિતના રસોઈના સાધનસામગ્રીથી સજ્જ રાખ્યું છે. પરિવાર જાતે જ બનાવીને આરોગ્યપ્રદ આહાર લે છે. જમવા બેસવા માટે કિચનની બાજુમાં જ ડાઈનિંગ ટેબલ સેટ રાખવામાં આવ્યો છે.
બંગલા માં તસવીરો જ તસવીરો છે.જેતુપરમાં જૂનાગઢ રોડ પર આવેલો છે .બંગલાના હોલમાં વિઠ્ઠલભાઈના ત્રણેય દીકરાના બાળકોની તસવીરો જોવા મળે છે.આ સિવાય ઠેર ઠેર વિઠ્ઠલભાઈની સાફો ધારણ કરેલી વિશાળ તસવીર પણ નજરે પડે છે.આ સિવાય વિઠ્ઠલભાઈના નાના પુત્ર કલ્પેશ, વૈભવ અને માતાની ફૂલહાર કરેલી તસવીર પણ છે.મિત્રો આપણે પાછા ફરીએ વિઠ્ઠલ ભાઈનાં જીવન તરફ.વિઠ્ઠલ રાદડિયા આમતો લોકો માટે ઘણા સારા કામ કરી ચુક્યા છે પોતે સાંસદ પદે થી તમામ વિસ્તાર ના લોકો માટે ઘણાં સારા કામ કર્યા છે.
પરંતુ વાત કરીએ વિઠ્ઠલ ભાઈ ની સંસ્થા ની તો વિઠ્ઠલ રાદડિયાની અનેક સંસ્થાઓ તેઓ અનેક સંસ્થાઓ ચલાવતા હતા.પરંતુ તેમાં ઘણી સંસ્થા ખાસ હતી.જેમાં જામકંડોરણા ખાતે આવેલી લેઉવા પટેલ કન્યા છાત્રાલય, હંસરાજભાઇ સવજીભાઇ રાદડિયા લેઉવા પટેલવિદ્યાર્થી ભવન, માતૃશ્રી જયાબેન સવજીભાઇ ભાલાળા ક્ન્યા છાત્રાલય વગેરે સંસ્થાઓનો મુખ્ય સંસ્થા ઓ છે.
તુરે આજે આપણે વાત કરીએ વિઠ્ઠલ ભાઈ ના ખાસ એક એવી આદત જે તેમને બધાં થી અલગ પાડે છે.ગુજરાતના બહુ ઓછા લોકોને ખબર હશે કે વિઠ્ઠલ રાદડીયાએ પોતાના તમામ વાહનોની ઉપર વૈભવ એવું નામ લખાવ્યું છે.તેઓ શા માટે વૈભવ લખાવતા હતા તે જાણવું પણ રસપ્રદ છે.વિઠ્ઠલ રાદડિયા આખા ગુજરાત માં પોતાનાં નામ ને લીધે અલગ પડે છે.