આજના જમાનામાં તમારે દુશ્મનોને હરાવવા હોય તો ગુરુ ચાણક્યની આ વાત ગાંઢ બાંધીને મગજમાં ઉતારી લો, જોવો કઈ-કઈ વાતો છે?

આજના જમાનામાં તમારે દુશ્મનોને હરાવવા હોય તો ગુરુ ચાણક્યની આ વાત ગાંઢ બાંધીને મગજમાં ઉતારી લો, જોવો કઈ-કઈ વાતો છે?

આચાર્ય ચાણક્યની ગણતરી ભારતના શ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય છે આચાર્ય ચાણક્યએ તેમના અનુભવ અને જ્ઞાન દ્વારા જે પણ પ્રાપ્ત કર્યું તેમણે તેને પોતાની ચાણક્ય નીતિમાં નોંધ્યું. ચાણક્ય નીતિ જણાવે છે કે કેવી રીતે સુખ અને દુ:ખમાં જીવવું જોઈએ અને જીવનમાં પડકારોનો સામનો કેવી રીતે કરવો.

આચાર્ય ચાણક્ય માનતા હતા કે દરેક સફળ વ્યક્તિ માટે જીવનમાં દુશ્મનો હોય તે સામાન્ય છે આ લોકો તમારી સફળતાને અવરોધવાનું કામ કરે છે. તેઓ તમારા રસ્તામાં મુશ્કેલી ઉભી કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જે વ્યક્તિ હિંમતવાન અને નિષ્ઠાવાન અને પોતાના લક્ષ્ય પ્રત્યે અડગ છે, તે તેના દુશ્મનોને તેના પર પ્રભુત્વ જમાવવા દેતો નથી. ચાણક્યએ પોતાની ચાણક્ય નીતિમાં કહ્યું છે કે દુશ્મનોથી કેવી રીતે બચવું અને સમય આવે ત્યારે તેમને કેવી રીતે હરાવવા.

દુશ્મનને ક્યારેય નબળો ના સમજવો ચાણક્યના મતે શત્રુને ક્યારેય નબળો ન માનવો જોઈએ તે અહંકારને જન્મ આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ આ ભૂલ કરે છે ત્યારે તેને ચોક્કસ ભોગવવું પડે છે.

દુશ્મનની હાલ ચાલ પર નજર રાખો ચાણક્ય માને છે કે દુશ્મનની પ્રવૃત્તિઓને ક્યારેય અવગણવી ન જોઈએ દુશ્મનની દરેક ચાલથી વાકેફ રહેવું જરૂરી છે. માહિતી મેળવીને તમે દુશ્મનને હરાવવાની સફળ યોજના બનાવી શકો છો.

દુશ્મનનો સ્વભાવ અને એની શક્તિ જાણોચાણક્ય નીતિ અનુસાર દુશ્મનની પ્રકૃતિ અને શક્તિનું યોગ્ય મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી છે. જો દુશ્મન બળવાન હોય તો છુપાઈને સમયની રાહ જુઓ. તમારે સમયાંતરે તમારી શક્તિઓમાં વધારો કરતા રહેવું જોઈએ. આવું કરવાથી સમય આવે ત્યારે જીતવાની તકો વધે છે.

ઘમંડથી દૂર રહો ચાણક્ય અનુસાર દુશ્મનોની સંખ્યા વધારવામાં અહંકાર મહત્વની ભૂમિકા ભજવે છે. શક્ય હોય ત્યાં સુધી અહંકારથી દૂર રહો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *