Health Tips : ઋતુ બદલાતાં જ મોટા ભાગના લોકોને થઈ જાય છે શરદી-ખાંસી અને તાવ,કરો આ આ આયુર્વેદિક ઉપાય….
શિયાળો આવવાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળાની શરૂઆત થતા લોકો શરદી અને ખાંસીથી પરેશાન થવા લાગે છે. રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો વાયરલ ફીવર પણ થઈ શકે છે. આ કારણોસર ઋતુ બદલાય તો ખાવા પીવાની સાથે કેટલીક અન્ય આદતો પણ બદલવી જરૂરી છે. જે લોકોની ઈમ્યૂનિટી નબળી હોય તેમને બિમારી તરત જ લાગી જાય છે. શરદી ખાંસીથી રાહત મેળવવા માટે આયુર્વેદિક ઉપાય અપનાવવા જોઈએ.
શરદી ખાંસીથી રાહત મેળવવા માટે આયુર્વેદિક ઉપાય
આ પણ વાંચો : Shree Ram : ભગવાન શ્રી રામએ પોતાના હાથે બનાવેલી 4 વસ્તુઓ આજે પણ પૃથ્વી પર જોવા મળે છે, આ રહ્યા તેના સબૂત..
શરદી ખાંસીથી રાહત મેળવવા માટે ઔષધિ તરીકે આમળા અને મધનો ઉપયોગ કરવાનો રહેશે.
સૌથી પહેલા 5 આમળા લો.
હવે આ આમળાના નાના ના ટુકડા કરી લો.
હવે તેમાં 1 ટેબલસ્પૂન મધ મિશ્ર કરો અને નિયમિતરૂપે સવારે ભૂખ્યા પેટે તેનું સેવન કરવું.
બાળકો માટે આ ડોઝ બનાવવા માટે આમળાના 1 2 ટુકડા જ લેવા
આ ઔષધિ બનાવીને 10 દિવસ સુધી રાખી શકાય છે.
ઔષધિના ફાયદા
આ ઔષધિથી કફ, શરદી, એલર્જી અને અસ્થમાથી રાહત મળશે.
આ ઔષધિ શરદી માટે બેસ્ટ ફ્રૂટ છે, જે માર્કેટમાં સરળતાથી મળી રહે છે.
આમળા સ્વાદમાં ખાટા હોય છે અને તેમાં નમકીન સિવાય તમામ રસ મિશ્ર હોય છે.
આમળામાં ભરપૂર માત્રામાં વિટામીન સી રહેલું હોય છે. જેના કારણે શરદી ખાંસીની સમસ્યા દૂર થાય છે.
આમળામાં રહેલ એન્ટી ઈન્ફ્લામેટરી ગુણને કારણે ઈન્ફ્લામેશન દૂર થાય છે અને ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે.
આમળામાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટ્સથી એક્ને દૂર થાય છે અને સ્કિન ગ્લોઈંગ બને છે.
આમળાથી લોહી શુદ્ધ થાય છે અને વાળ ખરતા નથી.
મધ સ્વાદમાં મીઠું હોય છે જે સરળતાથી પચી જાય છે.
આમળાની તાસીર ગરમ હોય છે, કફ અને પિત્તને સંતુલિત રાખે છે.
more article : Health Tips : શરીરમાં કેલ્શિયમની ઊણપ હાડકાઓને કરે છે નબળાં, આજથી જ આ 5 ચીજ ખાવાનું શરૂ કરી દો