Health Tips : વધારે મીઠું ખાવુ સ્વાસ્થ્ય માટે ઘાતક,કિડની અને BPની થઈ શકે છે સમસ્યા
Health Tips : વધારે મીઠું ખાવુ સ્વાસ્થ્ય માટે ઘાતક,કિડની અને BPની થઈ શકે છે સમસ્યા
જો ભોજનને સ્વાદિષ્ટ બનાવવું હોય તો તેમાં મસાલા મહત્વની ભૂમિકા ભજવે છે. મીઠું પણ એટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે. મીઠા વગર ખોરાક અધૂરો રહે છે. મીઠું ખાવાથી શરીરને સ્વાદ અને આયોડિન મળે છે. આયોડિન શરીરમાં થાઇરોઇડ ગ્રંથિના કાર્યને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સોડિયમ મીઠામાં જોવા મળે છે.
આ પણ વાંચો : Health Tips : ચા કે કોફી નહિ દિવસની શરૂઆત એલોવેરા જ્યુસથી કરો, પછી જુઓ તેના અદભૂત ફાયદા
વધુ પડતા મીઠાનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જેના કારણે વ્યક્તિને કિડની અને બીપી જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાદને કારણે લોકો મીઠું વધારે લે છે. વધુ પડતા મીઠાનું સેવન કરવાથી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે.
એવું કહેવાય છે કે વ્યક્તિને દરરોજ 5 ગ્રામ મીઠાની જરૂર હોય છે. ચેતા અને સ્નાયુઓની યોગ્ય કામગીરી માટે તે જરૂરી છે. સોડિયમ એ મીઠાનો મહત્વનો ભાગ છે. જો તમે વધુ પડતું મીઠું ખાશો તો તમને ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો :Weight Loss : છોડો આ બધા મોંઘા ડાયટ પ્લાન.. અપનાવો આ ઘરેલું ઉપાય, 1 મહિનામાં સ્લિમ અને ટ્રિમ થઈ જશો
કહેવાય છે કે વધુ પડતા મીઠાના સેવનથી સ્થૂળતા અને યુરિક એસિડ વધી શકે છે. રક્તસ્રાવની સમસ્યા પણ થઈ શકે છે. તેની સાથે કિડનીને પણ અસર થાય છે. સાથે જ ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ વધી શકે છે. તેનાથી કોલેસ્ટ્રોલની સમસ્યા વધી શકે છે.
Health Tips : વધારે મીઠા વાળી વસ્તુઓ ખાવાથી મોં સુકાઈ જાય છે. જેના કારણે વ્યક્તિને વારંવાર તરસ લાગે છે. જો તમે સૂતા પહેલા સોડિયમ યુક્ત ખોરાકનું સેવન કરો છો, તો તમારે અનિદ્રાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.રાત્રે સૂતા પહેલા મીઠું વધુ હોય તેવો ખોરાક ખાવાથી અનિંદ્રા, બેચેની અને રાત્રે વારંવાર જાગવાની સમસ્યા થઈ શકે છે.
more article : Health Tips : સાવધાન, ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકોને એકદમ જગાડવાની ભૂલ ન કરશો, બ્રેઇન હંમેશા માટે થઇ શકે છે ડેમેજ