Health Tips : તાંબાની બોટલમાંથી પાણી પીતા પહેલા આ નિયમો જાણો નહિતો શરીરમાં કોપર વધતા થશે આ નુકસાન..
Health Tips : આયુર્વેદ અનુસાર, જે લોકો ઝાડા, ઉલટી, ઉબકા, ગેસ, માથાનો દુખાવો, હાર્ટબર્ન અથવા કોઈપણ ગંભીર રક્તસ્રાવની સમસ્યાથી પીડાતા હોય તેઓએ આ પાણી પીવું જોઈએ નહીં. આ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.
Health Tips : આજકાલ, બજારમાં નવી પ્રકારની બોટલો ઉપલબ્ધ છે, જેમાંથી સૌથી વધુ લોકપ્રિય પ્લાસ્ટિક બોટલ છે. પરંતુ પ્લાસ્ટિકની બોટલનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણું ખતરનાક સાબિત થઈ શકે છે. હવે લોકો વિચારે છે કે જો તેઓ પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી ન પીવે તો કઈ બોટલ તેમના માટે સારી રહેશે.
તો આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે તાંબાની બોટલનું પાણી પીવાથી શું ફાયદા થાય છે.
આ પણ વાંચો : Pomegranate Powder : કચરો નહી કંચન છે દાડમની છાલ, ભુક્કો કરીને ફાકશો તો મળશે ગજબના ફાયદા..
જાણો ફાયદા
તાંબાની બોટલમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. કોપર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણોથી ભરપૂર છે જે કીટાણુઓને મારી નાખવામાં અને ચેપથી બચાવવામાં મદદ કરે છે. આ સિવાય તાંબાના વાસણમાં પાણી પીવું ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે, હૃદયરોગથી રાહત આપે છે, પાચનક્રિયા સુધારે છે અને દિવસભર ઊર્જાવાન પણ રહે છે.
જાણકારી અનુસાર કોપર કોલેસ્ટ્રોલ અને શુગરને કંટ્રોલ કરે છે અને તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ બેક્ટેરિયા સામે લડવાનું કામ કરે છે. તેની બોટલનું પાણી પીવું વાળ અને ત્વચા બંને માટે ફાયદાકારક છે.
આ પણ વાંચો : Health Tips : સાવધાન ! બાળકોને પણ આવી શકે છે હાર્ટ એટેક, જાણો કેવી રીતે સુરક્ષિત રાખશો..
ગેરફાયદા જાણો
તાંબાની બોટલનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે, પરંતુ ક્યારેક તેને સમયસર સાફ ન કરવાથી ઉલ્ટી અને પેટની સમસ્યા થાય છે. ગર્ભવતી મહિલાઓએ તાંબાના વાસણમાં પાણી પીવાનું ટાળવું જોઈએ. જો તમને કોઈ એલર્જી હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. બોટલમાં પાણી ભરેલું લાંબો સમય ન રાખો.પાણીને 8 થી 12 કલાક જ બોટલમાં રાખો. સવારે વહેલા ઉઠીને તાંબાના વાસણનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયન ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અનુસાર, એક સામાન્ય પુખ્ત વ્યક્તિને દિવસમાં બેથી ત્રણ મિલિગ્રામ કોપરની જરૂર હોય છે. જેમાંથી 90 ટકા તમને ખોરાક દ્વારા મળે છે. જો તમે તાંબાના વાસણમાંથી પાણી પીતા હોવ તો તેને દિવસમાં એક કે બે વારથી વધુ ન પીવો. જો શરીરમાં કોપરનું પ્રમાણ વધી જાય તો તેનાથી ઉબકા, ઉલ્ટી, ઝાડા, ગેસ અને માથાનો દુખાવો જેવી ફરિયાદો થઈ શકે છે.
more article : Holi : હોલિકા દહનના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.