Ganeshji : ગુજરાતના લખપતિ ગણેશ : 21 લાખની ચલણી નોટોથી સજાવાયો આખો પંડાલ..
ગુજરાતમાં જ્યારે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે ભગવાન ગણેશની વિવિધ રીતે પૂજા-અર્ચના કરવામાં આવે છે. ગણપતિ પંડાલોમાં ભગવાન ગણેશને અલગ અલગ રીતે શણગારવામાં આવે છે. ત્યારે સાવરકુંડલાના સદભાવના ગૃપ દ્વારા લખપતિ ગણેશનું પૂજન કરવામાં આવી રહ્યું છે. અહીં ગણપત બાપ્પાને 21 લાખ રૂપિયાની નોટોથી શણગારવામાં આવ્યા છે.
ગુજરાતમાં ગણેશ પૂજાનું મહત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે સાવરકુંડલાનું સદભાવના ગ્રુપ છેલ્લા 15 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવે છે. આ છે સદભાવ ગ્રુપનું ગણેશ પંડાલ. અહીં દેખાતા વિશાળ ગણેશની આસપાસ આ રૂપિયાની દિવાલો બનાવવામાં આવી છે. ભગવાન ગણેશને 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની ચલણી નોટો આપવામાં આવી છે.
આ શણગાર પાછળ જૂથનો હેતુ છે. ભાવિક ભક્તો લખપતિ Ganeshji ના દર્શન કરીને ભાવુક થઈ જાય છે. કળિયુગમાં ગણેશની ભક્તિ અને લક્ષ્મીના દર્શન દર્શનાર્થીઓને દિવાના બનાવી દે છે. મંદીના સમયમાં ગણપતિને અવનવા રૂપ અને રંગોથી શણગારનાર ભક્તો પણ ગણપતિ કરોડપતિ બની ગયાનું કહી રહ્યા છે. આજે અહીં 21 લાખ રૂપિયાનો શણગાર કરવામાં આવ્યો છે.
સદભાવના ગ્રુપ દ્વારા દરરોજ ગણપતિ બાપ્પાને શણગારવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી અહીં ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અહીં દર્શન માટે આવતા ભક્તો લખપતિ ગણેશના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સદભાવના ગૃપ દ્વારા જ રૂ.
સદભાવના ગ્રુપના ગણેશ પંડાલમાં લખપતિ ગણપતિના દર્શન કરવા ભક્તો ઉમટી રહ્યા છે. આ ભગવાન ગણેશના દર્શન કર્યા પછી લોકોને નવો અનુભવ થઈ રહ્યો છે. અહીં 21 લાખની નોટોથી ગણેશ આરતી, પૂજા-અર્ચના કરવામાં આવે છે. સદભાવના ગ્રુપ છેલ્લા 15 વર્ષથી આ ગણેશ ઉત્સવ દરમિયાન સામાજિક કાર્ય પણ કરે છે.
સદભાવના ગૃપના મંત્રી રાજુભાઈ નાગ્રેચા જણાવે છે કે સાવરકુંડલામાં સેવાકીય પ્રવૃતિઓ માટે પ્રખ્યાત સદભાવના ગૃપ દ્વારા છેલ્લા 15 વર્ષથી ગણપતિને વિવિધ રીતે શણગારીને સમગ્ર જિલ્લાના આકર્ષણનું કેન્દ્ર બનાવેલ છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉત્સવની આવકે સમગ્ર સમાજ માટે સેવા કાર્યમાં એક નવો સીમાચિહ્ન સ્થાપ્યો છે.
more article : Ganeshji : 2655 કિલો સાબુમાં કંડારાયા ગણેશજી, વિસર્જનના દિવસે આ સાબુ ગરીબ બાળકોને અપાશે