ત્રણ મુખ વાળા માં ચામુંડા માતાજીના દર્શન કરવાથી દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે જાણો ક્યાં બિરાજમાન છે માતાજી…
આપણા દેશમાં ઘણાં બધા મંદિરો આવેલા છે જેમાં દરેક મંદિરો સાથે અલગ અલગ કહાની જોડાયેલી છે તો આજે એક એવા જ મંદિરની વાત કરવાની છે જે વલસાડથી આઠ કિલોમીટરના અંતરે પાનેરા ડુંગરાના ઉપર આવેલું છે જ્યાં દેવી ચંદ્રિકા નવદુર્ગા અને મહાકાળી માતાની સ્થાપન કરવામાં આવી છે આ મંદિરમાં ચામુંડા માની ત્રિ મુખી મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે આ મંદિરમાં બધી માતાજીની મૂર્તિ છે જેથી નવરાત્રીમાં ભક્તો મોટી સંખ્યામાં જોવા મળે છે.
માતાજીના ભક્તો આખો ડુંગર ચડીને માં ચામુંડાના દર્શન કરવા જતા હોય છે આ ડુંગર પર 1000થી પણ વધારે પગથિયાં છે જે ચડીને મંદિરે જાય છે લોકો પરંતુ ભક્તો માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા ખાસ સુવિધા પણ કરી છે આ મંદિરને એક વાવ પણ આવેલી છે આ મંદિરે આસોસુદ આઠમના દિવસે લોકમેળો ભરાય છે.
અને લાખોની સંખ્યામાં ભક્તો આ મેળામાં જોવા મળે છે આ મંદિરની એવી માન્યતા છે કે નવરાત્રીમાં ગરબા રમવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે તેથી આ દિવસે પાનેરા ગામના લોકો ગરબા રમવા ડુંગર પર જાય છે આઠમના દિવસે આ મંદિરે સરકારી તંત્ર પણ હાજર રહે છે.
જેથી ભક્તો કોઈ પણ જાતની મુશ્કેલીઓના પેટી શકે પારનેરા ડુંગર પર શિવાજી મહારાજની પણ કિલ્લો આવેલો છે જેના પુરાવા આજે પણ છે આ મંદિરે રોજ સવારે અને સાંજ આરતી થાય છે.
માતાજીના ભક્તો પોતાની આસ્થાની સાબિતી અલગ અલગ રીતે આપતા હોય છે અમુક લોકો માતાજીના દર્શન કરવા માટે ચાલીને આવે છે તો અમુક લોકો પગથિયા પર કંકુના ચાંદલા કરે છે તો અમુક પગથિયા પર દીવડા મૂકે છે.