Chanakya Niti : નોકરીમાં સફળતા મેળવવા માટે અપનાવો આ ચાણક્ય નીતિ, દિવસ-રાત થશે પ્રગતિ…
આચાર્ય ચાણક્ય એક મહાન અર્થશાસ્ત્રી હતી. સાથે તેમણે પોતાના નીતિ શાસ્ત્રમાં ધન, કારોબાર અને નોકરી વગેરેમાં સફળતા હાસિલ કરવા માટે ઘણી નીતિઓનો ઉલ્લેખ કર્યો છે. ઘણીવાર વ્યક્તિના તમામ પ્રયાસો બાદ પણ નક્કી સફળતા મળતી નથી.
આચાર્ય ચાણાક્યએ પોતાની Chanakya Nitiમાં 11માં અધ્યાયના પ્રથમ શ્લોકમાં ચાર એવા ગુણ જણાવ્યા છે જે કોઈપણ સફળ વ્યક્તિ કે કોઈ સારા નેતામાં હોય છે. તેમનું કહેવું છે કે આ ગુણ કેટલાક ખાસ લોકોમાં જન્મજાત હોય છે, જેના પ્રભાવથી તેને દરેક કામમાં સફળતા મળે છે. તે કહે છે કે આ ગુણોને કારણે વેપાર, નોકરી કે અન્ય ક્ષેત્રમાં સફળતા મળે છે.
Chanakya Niti કહે છે કે વ્યક્તિને પોતાના લક્ષ્યની જાણકારી હોવી જોઈએ. એકવાર તમે લક્ષ્ય નક્કી કરી લો તો તેને પૂરુ કરવા લાગી જવું જોઈએ. જે લોકો લક્ષ્ય નક્કી કરતા નથી તે પોતાના સમયને ખરાબ કરે છે. કરિયરમાં પણ સફળતા ત્યારે મળે છે જ્યારે વ્યક્તિ લક્ષ્ય નક્કી કરે છે.
આ પણ વાંચો : share market : 75 રૂપિયાનો શેર 2 મહિનામાં 300ને પાર, રોકાણકારોને મોટો ફાયદો, હવે કંપનીને મળ્યો 381 કરોડનો ઓર્ડર
યોજના બનાવી કાર્ય કરો
Chanakya Niti કહે છે કે કાર્ય કે નોકરીમાં સફળતા ત્યારે સંભવ છે જ્યારે વ્યક્તિ યોજના બનાવી કાર્ય કરે છે. જે લોકો કાર્યની યોજના બનાવતા નથી, યોજના વગર કાર્ય કરે છે, તે વિઘ્ન અને પડકાર આવવા પર ડરી જાય છે. યોજના વગર કાર્યમાં સફળતા મળવાની સંભાવના પણ ઓછી હોય છે.
ઈમાનદાર અને અનુશાસિત વ્યક્તિ
કોઈ વ્યક્તિ ખોટું કરીને ભલે ગમે એટલું ધન ભેગું કરે, પરંતુ તેનું પરિણામ તેણે ભોગવવું પડે છે. તેથી Chanakya Niti અનુસાર વ્યવસાય કે નોકરીમાં પ્રગતિ કરવા માટે તમારે તમારા કાર્યો પ્રત્યે ઈમાનદાર હોવું જરૂરી છે. અનુશાસન અન ઈમાનદારીથી પરિપૂર્ણ વ્યક્તિ ખુબ મહેનત કરે છે અને સફળતા હાસિલ કરે છે.
more article : Chanakya Niti અનુસાર આવી સ્ત્રીઓ તેમના પતિના ભાગ્યને જગાડે છે અને કોઈ પણ મુશ્કેલીના સમયમાં તેમની સાથે ઊભી રહે છે…