Swaminarayan સંપ્રદાયના વધુ એક સાધુનો બફાટ : દારૂ પીનારા લોકોને અક્ષરધામ મળતુ નથી, પરંતુ દારૂ પીનારાઓને મળે છે કૈલાશનો વાસ
સાળંગપુર મંદિરના કેમ્પસમાં હનુમાનજીને દાસ બતાવવાની Swaminarayanના સંતો દ્વારા કરવામાં આવેલી ચેષ્ટાનો દેશભરમાં વિરોધ થયો હતો અને સનાતનીઓના રોષને જોઇ વાસ્તવિક્તા સ્વીકારી વિવાદાસ્પદ ચિત્રો દૂર કરવામાં આવ્યા હતા. આમ છતાં સ્વામિનારાણના સંતો દ્વારા બફાટ ચાલુ જ રહ્યો છે. ત્યારે આજે સ્વામિનારાયણના વધુ એક સાધુએ બફાટ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે દારૂ પીનારા લોકોને અક્ષરધામ મળતુ નથી, પરંતુ દારૂ પીનારાઓને મળે છે કૈલાશનો વાસ. આ નિવેદન આપીને ફરી લોકોની આસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Navratri માં ગરબાના સ્થાપન, પૂજા અને કન્યા પૂજાનું શુભ મુહૂર્ત અને ચોઘડિયા જાણી લો
સ્વામિનારાયય સંપ્રદાયના સંતોએ સનાતન ધર્મ અને સનાતન ધર્મના દેવી-દેવતાઓને બદનામ કરાવવાનું કાવતરું હવે જાણે ખુલ્લુ પડી રહ્યું છે, તેવું લાગી રહ્યું છે. ત્યારે વડતાલના સ્વામીઓ શાન-ભાન ભૂલી ગયા હોય છે. ત્યારે જોશ જોશમાં હોશ ખોઈ બેઠેલા સ્વમિનારાયણના વધુ એક સાધુએ બફાટ કર્યો છે .
વધુ એક Swaminarayan સાધુએ ભગવાન શિવ અંગે અભદ્ર ટિપ્પણી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે જો તમે એક નિયમ ચુકી ગયા તો અક્ષરધામ નહીં પણ કૈલાશધામ મળે છે. સાધુએ અક્ષરધામને કૈલાશ કરતાં ઉંચુ સ્થાન ગણાવીને નશા મુક્ત લોકો અક્ષરધામ જાય છે તેમ જણાવ્યું હતું.
Swaminarayan સંતના બફાટ પછી જ્યોતિર્નાથ મહારાજ આકરા પાણીએ જોવા મળ્યા હતા અને મૂંહતોડ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સનાતન ધર્મ તમારા બાપોના પણ બાપ છે તેમ જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું. તેમણે આકરા શબ્દોમાં કહ્યું હતું કે જો સનાતન ધર્મના સંતો પોતાની સીમા છોડી દેશે તો પછી ધોતિયા પકડીને ભાગતા નહીં. હવે અમે સહન નહીં કરીએ.
બોલ્યા પછી માફી માગી લે છે પણ વીડિયો હંમેશા રહે છે. વીડિયોનો અભ્યાસ કર્યા પછી ફરિયાદની પણ તૈયારી છે તેમ જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું. સ્વામિનારાયણ વર્સિસ સનાત ધર્મના આ શાબ્દિક યુદ્ધમાં હવે સાધુ સંતો પણ શબ્દોની મર્યાદા ભૂલી રહ્યાં છે.
Swaminarayan સંતના બફાટવાળા આ વીડિયો પર જ્યોતિર્નાથ મહારાજે આકરી ટિપ્પણી કરી છે અને કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાય હવે હદ વટાવે છે અને કબ્યું કે હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા કરાતા બફાટને સાંખી નહીં લેવાય.